ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં રજોગુણ લેશમાત્ર જોવા ન મળે.

તેઓ જ્યારે પૂર્વાશ્રમમાં તરુણવયે હતા ત્યારે પણ આ જ વાતને અતિ મહત્ત્વ  આપતા.

પોતે પહેરવેશમાં સાવ સાદાં વસ્ત્રો પહેરતાં.

એમને કદીયે કોઈ પ્રકારનો ઠાઠ ગમતો જ નહીં.

સાવ સામાન્ય કે સાવ સાદું જ એમને ખૂબ રુચતું.

ક્યારેક સ્વજીવનની સ્મૃતિ કરતાં તેઓ પૂ. સંતોને કહેતા :

“અમે નાના હતા ત્યારે અમારો એક સહસાથી નવાં કપડાં પહેરી અમને બતાવવા આવ્યો.

અમે તો તેને આવો સજેલો-ધજેલો જોઈ બોલી ઊઠ્યા : ‘દેહને શણગારવામાં કોઈ સાર નથી. એ ક્યાં ભેળો આવવાનો છે ?’

અમને સાદગી જ ખૂબ ગમે પણ રજોગુણનો ભપકો અને ઝાકમઝોળ જરાય ન ગમે.”

આમ, સહજ સહજમાં ગુરુદેવ બાપજી સાદગીની રુચિ પ્રદર્શિત કરી દેતા.