શ્રીજીમહારાજ વડતાલ બિરાજતા હોય ત્યારે રઘુવીરજી મહારાજને ત્યાં જમવા પધારતા.

રઘુવીરજી મહારાજનાં ધર્મપત્ની લાજ કાઢી મહારાજને પીરસતાં.

એટલે એક વખત મહારાજ બોલ્યા,

“લાજ કાઢો છો ત્યારે ધ્યાન કોનાં કરશો ?

રઘુવીરજી મહારાજનાં ધર્મપત્ની આ સાંભળી રાજી થયાં.

ત્યારે મહારાજ ફરી બોલ્યા,

“સાંભળો, હું કોઈનો સસરો નથી. હું તો સર્વનો બાપુ છું.”

આમ, શ્રીજીમહારાજે આ લોકના સંબંધનો ભાવ ટળાવી નિજના પરભાવના સંબંધી કર્યા.